જીંદગી : વ્યર્થ કે વર્થ

 ઘણીવાર એક સવાલ થાય કે લાઈફ કઇ દિશામાં જઈ રહી છે, મારી લાઇફમાં કોઈ ઉદ્દેશ્ય બચ્યો હશે ખરો? શુ હું જેમ લાઈફ વિતાવું એમજ જીવાતું હશે? જે સ્વપ્નાઓ જોયેલ ,જેને પુરા કરવા મહેનત કરી, ખંત રાખીને આશાને જીવતી રાખી અને કદાચ જો એ પુરા થાય પછી શું? કેમ કયારેક બધું હોવા છતા લાઇફની વ્યર્થતા મહેસુસ થાય? કેમ ક્યારેક જે બધુ મળ્યું છે એના માટે કૃતજ્ઞતાના ભાવ આપોઆપ પ્રગટ ના થાય? લાઈફ ઇસ પ્રેશિયસ એવું વાક્ય મોં સુધી જ કેમ રહી જાય, કેમ એ વાક્ય ને પૂરેપૂરું આચરણમાં ઉતારી ના શકાય? કેમ કયારેક ઉદાસીનતા એટલી હાવી થઈ જાય કે બધા લોકો,વસ્તુથી દુર ભાગી એકાંત સેવવાની ઈચ્છા થાય? એ એકાંત માં પણ પોતાના વિચારોના આવેગ જયારે પરેશાન કરે,ત્યારે પોતાનાથી પણ નાસીપાસ કરવાની ઇચ્છા જન્મે, એતો ક્યાંથી શક્ય થવાનું એ વિચાર આવતા થોડાં વધુ પજવાઈ જઈએ. પોતાના દોષોને જાણવાં એ કદાચ પરિવર્તન તરફ જવાનો પહેલો વળાંક છે. એકાંતમાં પોતાની અંદરથી આવતા અવાજ સ્પષ્ટ સંભળાઈ અને ત્યારે કદાચ આપણી અંદર જ રહેલ સેલ્ફ-મોટીવેટિંગ માણસ આપણને પ્રેરે છે. લાઈફની વ્યર્થતાને અને બીજા બધા નકામાં વિચારોને ત્યજી લાઇફની વર્ધિનેસને દેખાડે છે. લાકફ કોમ્પ્લેક્સ જેટલી આપણે બનાવીયે છીએ એટલી હોતી નથી. આપણો પ્રોબ્લેમ છે કે આપણને સરળ વસ્તુ પસંદ નથી. જેવી રીતે ખુશીઓ ભેગી કરવા દોટ મૂકીએ એમજ દુઃખ, પીડાથી દૂર ભાગવાની તૈયારી હંમેશા થતી હોય પણ જેમ ખુશી ને જે સહજતાથી સ્વીકારીએ એવી રીતે દુઃખ કે પીડા કે પડકાર ને સ્વીકારી ના શકાય? આપણે કહેતા હોઇએ કે જે થતું હોય એ સારા માટે જ થતું હોય ,બસ વાતો છે બધી. જ્યારે આપણી ઇચ્છાનુસાર કશું ન થાય ત્યારે મોટા ભાગે તો આપણે આ ફિલસૂફી ભૂલી જઈએ છીએ અને ફરિયાદ કરીયે, રોદણાં રોઈએ. એ વાતમાં દમ છે કે માણસ હઠાગ્રહી છે અને એટલે જ એ પીડિત રહે છે. જ્યારે કોઈ પરિસ્થિતી પર આપણો કોઇ જ કાબુ ના હોય ત્યારે એ પરિસ્થિતિથી લડવાનો કોઈ અર્થ નથી. તો વાત થતી હતી લાઇફની વર્ધિનેસની, તો ચોક્કસપણે માણસ જાણે જ છે કે જીવન સુંદર , મૂલ્યવાન અને ઉદ્દેશ્યપૂર્ણ છે બસ ક્યારેક જેમ અરીસા પર ધૂળ લાગવાથી દ્રશ્ય ધૂંધળું દેખાય એમ કોઈ કોઈ ઘટના, પરિસ્થિતી માણસને આંધળું કરી દે.પણ કોઈ પરિસ્થિતી કાયમ નથી રહેતી.પડકાર માણસને વધુ નિખારે છે, સુધારે છે અને માણસ ફરી કહે કે લાઈફ વર્ધ છે.

Comments

You are welcome to share your ideas with us in comments !

Archive

Contact Form

Send