જીવનરસ - 2

ક્યારેક હારેલા , ત્યજેલા અને હૃદય માં ન સમજાય એવી ઉદાસી મહેસુસ કરતા હો અને અચાનક કઈક સમાધાન મળી જાય ત્યારે ઈશ્વરનું તમારી સાથે હોવાનું યથાર્થ લાગ્યુ છે? ક્યારેય જીવી ગયેલ જીંદગી ને અવલોકતા , દુનિયાદારીને ના સમજતા, કડવા અનુભવો નો સામનો ના કરેલ પોતાની નાનપણની નિર્દોષ જાત ને યાદ કરી એક સ્માઇલ તમારા ચહેરા પર આવી છે? ક્યારેય એકદમ નવી વેદના ને દિલ માં ધરબાયેલી રાખવાના નિષ્ફળ પ્રયાસો પછી અચાનક એ વેદનાના વાદળો ને વરસવા દીધા છે? ક્યારેય મન નાં જંજાવાત ને લાગણીઓના વહેણ ને રોકવા ચહેરા પર હાથ ભીંસી વરસાદ ની હાજરી માં રડી ,ધ્રુજતા શરીરે, એક જીદ સાથે, ખાલી થયા છો? જીવનમાં આપણુ ધાર્યું જ થાય એ આભાસ તૂટતા, અનેક સુંદર સપના તૂટતાં ,પોતાની અંદર પણ કંઇક નષ્ટ થયાની અનુભૂતિ ક્યારેય થઇ છે ક્યારેય? ક્યારેક પોતાના જ સવાલોથી માથું ઘૂમી જાય, જવાબ ની તલાશ મા ફરી નવા સવાલો સામે આવી જાય ત્યારે આ સવાલ જવાબ ના ચક્ર થી કંટાળો આવી એને પડતાં મુકવાનું મન થયું છે ક્યારેયક્યારેક પોતાના વિરુદ્ધ જ વિચારોના ઘમાસાણ યુદ્ધમાં પોતાને હારતા છતાં લડતાં અનુભવ્યા છે? ત્યારે એમ થયું છે કે ભલે બધા હોય, છેલ્લે પોતાનું યુધ્ધ પોતે જ લડવું પડશે અને જેટલી હોય એ બધી હિંમત એકઠી કરી લડ્યા હો અને જીત્યા હો, બન્યું છે ક્યારેય એવું? ક્યારેય પોતાની સાથે એટલો અન્યાય કર્યો છે કે બીજાના ઘા રુજવતા પોતાને જ ઘા આપી દીધા હોય? ક્યારેય ઉદાસીનતા એટલી હાવી થઈ ગઈ છે કે તમે એક સ્માઇલ ના કરી શકતા હોવ, અને એ ઉદાસીમાં ગરકાવ પોતાની જાતને ચૂપ કરી શૂન્ય મા ખોવાના છો ક્યારેયક્યારેક કોઈ દ્વિધાના સમાધાન ન મળવાની અકળામણથી કંટાળી આંખો બંદ કરી ફોનમાં ફેવરિટ ગીત સાંભળવામાં પોતાને વ્યસ્ત કર્યા છે? ક્યારેક પોતાને સાચા પુરવાર કરવાની રામાયણ કરવાને બદલે "જેને જે વિચારવું હોય એ વિચારે" એવું વિચારી પોતાની ધૂન માં ડૂબ્યા છો? ક્યારેય પોતાને લાગણીઓના આવેશમાં ઘવાતા જોયા છે? ક્યારેય પોતાની નબળાઈઓનો સહૃદય સ્વીકાર કરી તેના અપરાધભાવથી ઉપર ઉઠી તેને દૂર કરવાની પ્રયાસની દિશામાં પગ માંડ્યા છે? નકારાત્મક કે ઊણી લાગણીઓ કે જે આપણને નબળુ મહેસુસ કરાવે છે એવા ભાવો પણ પોતાનું એક અસ્તિત્વ ધરાવે છે, બસ આપણે એનાંથી નાસીપાસ કરવાને બદલે એના અર્થને સમજીએ , તેના કારણે પોતાનાથી રૂષ્ટ થવાને બદલે તેને પણ સ્વાભાવિક માનીએ,  એવું મહેસુસ કરવું એ આપણા હાથમાં નથી, પણ તેમાં  વહી જવાના બદલે તેને સમજીએ,આંધળા થયા વગર એ લાગણીઓને સીડી બનાવીએ જે આપણને વધુ બહેતર માણસ તરીકે ઉપર ઉઠાવે, જયારે માણસ પીડા, પરીક્ષા, ઉદાસીનતા, નકારત્મક્તામાંથી પસાર થઈને બહાર નીકળે છે ત્યારે તે કુંદન ની જેમ ચમકે છે, વધુ સુદ્રઢ ,વધુ સુંદર થઇ જાય છે. પછી તેને એક માણસ તો ચોક્કસ નથી હરાવી શકતો તે તેની પોતાની જાત જે કોઈ સમયે તેની દુશ્મન બની ગયેલ હોય છે, અને જેણે પોતના પર જીત મેળવી લીધી હોય તેને દુનિયાનું કોઈ તત્વ હરાવી નથી શકતું.



Comments

You are welcome to share your ideas with us in comments !

Archive

Contact Form

Send