જો મને કાન્હા મળે તો
કહેવા માટે કેટલું હોય છે,
છતાં મુક જ્યારે રહેવું પડે,
ત્યારે મારાં શ્યામ જો મને મળે તો,
વાચાળ બની વાણી ને વહેવા દઉં,
જો મને સખા મળે તો,
મારા સઘળા શબ્દોને અર્થ મળી જાય...
જીવનમાં જ્યારે જ્યારે ઠેસ લાગે,
પડતાં આખડતાં જ્યારે સંતુલન ગુમાવાય,
ત્યારે મારાં ગોવિંદ જો મને મળે તો ,
મારાં અસંતુલિત મન ને રાહ મળે,
જો મને સખા મળે તો,
મને સંયમ ધરવાની પ્રેરણા મળી જાય...
જ્યારે હોય હૃદય વ્યાકુળ ને ચિત અશાંત,
લાગણીઓના વહેણમાં જાત વહેતી જતી હોય,
ત્યારે મારાં કાન્હા જો મને મળે તો ,
મારી બધી વ્યગ્રતા સમાપ્ત થઈ જાય,
જો મને સખા મળે તો ,
મારી લાગણીઓના વહેણને થંભાવનારી પાળ મળી જાય...
જ્યારે સહાયની અતિશય જરૂર હોય ને,
હાકલ આપી કોઈને બોલાવાય નહીં,
ત્યારે જો મારાં માધવ મને મળે તો,
મારાં બધાં સંશયોનો અંત આવે,
જો મને સખા મળે તો ,
મારી મનઃસ્થિતિ ને સમજનાર એકમાત્ર મળી જાય...
છતાં મુક જ્યારે રહેવું પડે,
ત્યારે મારાં શ્યામ જો મને મળે તો,
વાચાળ બની વાણી ને વહેવા દઉં,
જો મને સખા મળે તો,
મારા સઘળા શબ્દોને અર્થ મળી જાય...
જીવનમાં જ્યારે જ્યારે ઠેસ લાગે,
પડતાં આખડતાં જ્યારે સંતુલન ગુમાવાય,
ત્યારે મારાં ગોવિંદ જો મને મળે તો ,
મારાં અસંતુલિત મન ને રાહ મળે,
જો મને સખા મળે તો,
મને સંયમ ધરવાની પ્રેરણા મળી જાય...
જ્યારે હોય હૃદય વ્યાકુળ ને ચિત અશાંત,
લાગણીઓના વહેણમાં જાત વહેતી જતી હોય,
ત્યારે મારાં કાન્હા જો મને મળે તો ,
મારી બધી વ્યગ્રતા સમાપ્ત થઈ જાય,
જો મને સખા મળે તો ,
મારી લાગણીઓના વહેણને થંભાવનારી પાળ મળી જાય...
જ્યારે સહાયની અતિશય જરૂર હોય ને,
હાકલ આપી કોઈને બોલાવાય નહીં,
ત્યારે જો મારાં માધવ મને મળે તો,
મારાં બધાં સંશયોનો અંત આવે,
જો મને સખા મળે તો ,
મારી મનઃસ્થિતિ ને સમજનાર એકમાત્ર મળી જાય...
By : Payal Bodar
કાન્હાને ગોતવાના ના હોય, એ તો વ્યાપ્ત છે અત્ર, તત્ર અને સર્વત્ર...બસ માત્ર આંખો બંધ કરો, કાન્હાનું સ્મરણ કરો ને મનના દરવાજા ખોલી નાખો, સઘળા કપાટ, સઘળા દ્વાર, સઘળા આગળિયા, સઘળી કડી, સઘળી સાંકળો ને ખોલી નાખો, મન:પ્રવાહના બંધ ને તોડી નાખો, વહેવા દો એને એની ઉનમુક્ત ગતિએ, મન ફાવતી દિશામાં, ચિત્તને માત્ર કાન્હામાં સ્થિર કરો..કશું જ બોલવાની કે ચેષ્ટા કરવાની જરૂર નથી, માત્ર વહેતા જાઓ નદીની માફક, નદી જેમ સાગર ને ગોતી જ લે, તેમ તમારું ચિત્ત પણ કાન્હાને ગોતી જ લેશે, ને છેલ્લે કંઈ નહીં તો કાન્હો તમને ગોતી લેશે...બસ એક વાત યાદ રાખજો, કાન્હો ચંચળ બહુ છે, પણ પૂર્ણ યોગેશ્વર પણ છે, એટલે અચ્યુત અને સ્થિર પણ છે, એ આવશે અને વિરાજશે પણ તમારા મન:આસન પર, પણ એનું સ્થાયી ને કાયમી રોકાણ કરવું એ તમારા મનને એની ઈચ્છાઓ પર નિર્ભર છે, એ બધું જ સ્વીકારવામાં માને છે, માટે તમનેય જીવનમાં બધું જ સ્વીકારવું પડશે, કોઈ પણ પક્ષપાત વિના. કેમ કે યાદ રાખજો એ મર્યાદા નહીં પણ પૂર્ણ પુરુષોત્તમ છે, એ આવશે તમને પૂર્ણ કરવા, એટલે પૂર્ણતામાં આ સારું કે પેલું ખોટું એમ ન હોય, આ દ્વિધાને ઓગાળવી પડશે, સારું કે નરસું, સાચું કે ખોટુંની સમજ રાખવી પણ પડશે ને ત્યજવી પણ પડશે...આ ભેદને ઓગાળશો તો કાન્હો તમારામાં ને તમે કાન્હામાં ઓગળશો... સંપૂર્ણતાથી... મોક્ષતાથી...ને તમે સંપૂર્ણ થઈ જશો....કાન્હોએ ભાડાના મકાનમાં નહીં પણ એના મિત્ર કે ભક્ત જે કહો તે...એના હૃદયમાં નિવાસ કરવા આવે છે...એ તો પૂર્ણતાના હકથી જ વર્તશે....એ તમારા પર છે...તમારે એને ભાડુઆત બનાવવો છે કે પછી ઘર જ એને સોંપવું છે...એ નિર્ધાર તમારો રહેશે...એટલે જ કાન્હાની સ્થિરતાનો આધાર પણ તમારો જ રહેશે...
ReplyDeleteએક તરફ તમે લખ્યું કે કાનો અત્ર, તત્ર અને સર્વત્ર છે...અને થોડી લાઈન પછી એમ લખ્યું છે કે કાન્હો આવશે..સેલ્ફ કોન્ટ્રેડિક્શન દૂર કરીને થોડું સ્પષ્ટ લખો..આમને આમ લાગણીમાં કાન્હા પર લખી લખીને લાખો પુસ્તકો લખાઈ ગયા છે..પણ કાનો ક્યાં છે?😊
DeleteJay shri krishna 🙏🏻🙏🏻🙏🏻
ReplyDeleteSuperbbb👌🏻👌🏻👍🏻
ReplyDeleteJay ho krishana ki
ReplyDeleteJay shree krishna 🌺
ReplyDelete