રામ




શ્રી રામ વિશે બધા કંઈક તો જાણે જ છે,પણ તેઓ યુગપુરુષ હતાઆદર્શ હતા તેથી તેઓના બધા નિર્ણયોબધા કર્મોને લોકો એ પોતાની સમજ પ્રમાણે ઉચિત અનુચિત નજરથી જોયા છે,સ્વીકાર્યા છે. શ્રી રામ અયોધ્યામાં બધાના માનીતા હતા,પૂજ્ય હતા તેનું એક કારણ મને લાગે છે તેમનું શુદ્ધ સ્પષ્ટ આચરણ હશે. 

આપણે રામ ને ધીર ગંભીર ધૈર્યવાન માણસ તરીકે જોઈએ છીએ અને ઘણા તર્ક કરે છે કે તેઓ આટલા અસામાન્ય હતા કેમકે તેઓ ભગવાન હતા. ચોક્કસ તેઓ ભગવાન હતા પણ પૃથ્વી પર તેઓ માનવ રૂપે જનમ્યા હતા અને છતાં માનવીય વિકારોથી પરે રહી તેમણે આદર્શ જીવનનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 


મેં નારાયણના રામ સ્વરૂપ કે કૃષ્ણ સ્વરૂપમાં એક વાત સરખી જોઈ છે તે છે એ તેમનો સહજ સ્થિતપ્રગ્ય 
સ્વભાવ.કોઈ પણ પરિસ્થિતિમાં સહજ રહેવાની તેમની રીત કોઈ પણ માણસ ને પ્રભાવિત અને ચકિત કરી શકે એમ છે. જ્યારે કૈકેયી એ દશરથ રાજાના સમક્ષ વરદાન માંગેલ ત્યારે રામેં કેટલી સહજતાથી વન માં જવાનું સ્વીકારી લીધું એમ કહીને કે ભરત ને રાજ્ય આપવામાં તો એમને ખુશી મળશે અને વનવાસથી તો તેઓ માતા પિતા બંનેની ઈચ્છા પૂરી કરી શકશેઋષિઓનો સાથ મેળવીને સંતુષ્ટ જીવન જીવી શકશેઆ બંને વરદાન પુરા કરવાને રામે પોતાનું સૌભાગ્ય માન્યું અને કૃતજ્ઞતાથી વન જવા તૈયાર થઈ ગયા.

રામ યુગપુરુષ હતાતેઓને માત્ર અયોધ્યામાં રહીને જીવન પસાર નહોતું  
કરવાનું.યુગપુરુષ ને માથે બહુ મોટી જવાબદારીકર્તવ્ય હોય છે જેના માટે તેમનું વન જવું જરૂરી હતું.યુગપુરુષ ને પોતાના સુખ કરતા બીજાના દુઃખ દૂર કરવા માટે ઘણા અંગત ત્યાગ કરવા પડે છેશ્રી રામ ને પણ કરવા પડ્યા. ઘણા ને રામ નિષ્ઠુર લાગે છે કે તેમણે પોતાની પત્નીને ત્યાગી દીધા કેમ?માત્ર ધોબીની વાત સાંભળીનેઆપણે વધુ વિચારતા નથી અને મુર્ખની જેમ બોલી દઈએ છીએ.પોતાની પત્ની સીતાનો ત્યાગ શુ એમના માટે કષ્ટદાયક નહીં હોય?એક તર્ક એવો છે કે સીતાજીના ત્યાગ પાછળ એમના ગુરુની આજ્ઞા હતી એ સિદ્ધ કરવા કે રામ- રાવણ યુદ્ધ નો મહાસંહાર રામે સીતાને પ્રાપ્ત કરવા નહોતો કર્યો પણ ધર્મન્યાય ,નીતિ ની સંસ્થાપના માટે કર્યો. એટલે આ એક વિચાર છે ,સ્વીકારી શકીએ કે ના સ્વીકારી શકીએ એ આપણા ઉપર છે. 

રામ ની એક વિશેષતા એ હતી કે એ કોઈ પણ માણસથી અપનત્વ સાધી લેતા,બધાના પ્રિય બની જતા.આ એમના વ્યક્તિત્વની ખાસિયત 
હતી.તેમનો સ્વાભવઆચરણવ્યતિવિશેષ સાથેના વ્યવહાર મા ક્યારેય ઉણપ ન જોઈ શકીએ. આ કોઈ સ્થિતપ્રગ્ય માણસ જ કરી શકે.આપણે કદાચ ભાવનાઓના આવેશમાં આવી જઈવિકારોના વેગમાં તણાઈ જઈએ અને અનુચિત આચરણ કરી બેસીએ પણ રામ શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્તુત કરે છે કે ઇન્દ્રિયોને વશમાં કરી,બુદ્ધિપૂર્વક,જ્ઞાનપૂર્વક આચરણ પછતાવાના કારણો નથી આપતું. શ્રી રામ પાસેથી આપણે શ્રેષ્ઠ ,સાર્થક જીવન જીવવાની શીખ લઈ શકીએ.ત્યાગદ્રઢતાસૌમ્યતાકર્તવ્યપરાયણતાઆદર્શક્ષમાપ્રેમસહજતાસ્વીકાર અને આવું ઘણું બધું એટલે રામ...

સમાપ્ત.


Comments

You are welcome to share your ideas with us in comments !

Archive

Contact Form

Send