માઁ તે માઁ બીજા બધા વગડાના વા
" માઁ તે માઁ બીજા બધાં વગડાના વા " એ ગુજરાતીમાં એક કહેવત છે, જેનો અર્થ એવો થાઈ કે બાળક માટે જનની જ સર્વસ્વ હોય બાકી બધા વગડાના જીવ. ગઈ કાલે એક ફિલ્મ જોઈ, "ધ સ્કાય ઇસ પિંક" , ખૂબ સરસ ફિલ્મ અને ફેમિલી સાથે ખાસ જોવા જેવી ફિલ્મ પણ જે વસ્તુ મને સૌથી વધુ સ્પર્શી એ હતી આ મુવીની માતા. પોતાના બાળકનાં જીવન બચાવવા માટે અથાક પ્રયત્નો, કેટકેટલા બલીદાનો અને જબરદસ્ત આશામય માઁ જોઈને આમ તો આશ્ચર્ય ના થાય કારણકે માતાનો કદાચ સ્વભાવ જ આ છે, પોતાના બાળક પર બધું ન્યોછાવર કરવું. વિશ્વાસ ના આવતો હોય તો તમારી પોતાની માતાના વ્યવહારને જોઈ લેજો, તેનો તમારા પ્રત્યેનો પ્રેમ જોઈ લેજો. તમે પાક્કું આ મુવીની મોમનાં પાત્ર જેને પ્રિયંકા ચોપરાએ બખૂબી નિભાવેલ છે જોઈને કનેકટ કરી શકશો. કેમ ફેમિલી સૌથી ઉપર હોય છે ,તમે કોઈ પણ પરિસ્થિતિમાં હોય,જો તમારો સાથ બધા છોડી દે પણ તમારી ફેમિલી હંમેશા તમારી સાથે હશે.
જ્યારે એક માતા ને ખબર પડે કે તેનું બાળક આ પૃથ્વી પર થોડાં સમયનું જ મહેમાન છે તે માતાના હૃદયને કેટલી ઘાત લાગતી હશે એતો એ માતા જ જાણે , છતાં તે બેબસ લાચાર બની રડ્યા નથી કરતી તે આ મૂવીમાં ખૂબ સરસ રીતે બતાવ્યું છે. તે તેના બાળકની જે પણ નાની મોટી ઈચ્છાઓ છે તેને પુરી કરવાનાં બધા પ્રયાસ કરે છે , એ પણ રિસ્ક અને સાથે તે રિસ્કના સોલ્યુશન સાથે કેમકે મોતનો ભય રાખવાથી એ બચેલ જીવનને પણ મરેલું બનાવે છે, તો શા માટે જે પળો બચ્યા છે તેને એવી રીતે ન જીવીએ કે મોતની ગોદમાં સુતા એક સ્માઈલ ચહેરા પર હોય, એક સંતોષ ચહેરા પર હોય. ઝાઇરા વસીમ જેણે આ મૂવીમાં આઇશા(પુત્રી)નું પાત્ર ભજવ્યું છે જેને એક સ્કીડ કરીને રોગ હોય છે જેમાં જો ટ્રીટમેન્ટ ના થાય તો બાળક 1 વર્ષની અંદર મૃત્યુ પામે, જેની ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ 10 વર્ષ વિદેશમાં ટ્રીટમેન્ટના કારણે રહ્યા બાદ પોતાના દેશ પરત ફર્યાંના થોડા સમય પછી આઇશાને પલમોનરી ફાઇબરોસીસ ( જેનો ઈલાજ હયાત નથી) રોગ થાય છે જેના કારણે તેની પાસે 5-6 વર્ષનું જ આયુષ્ય બચ્યું હતું. આઇશા આર્ટિસ્ટ હોય છે અને તે એક બુક લખે છે જેમાં એ કહે છે કે જો મૃત્યુ જ અંતિમ સત્ય હોય તો સૌથી વધુ શુ જરૂરી છે? હેપ્પીનેસ ,જ્યાં સુધી જીવો ત્યાં સુધી ખુશ થઈને જીવો, કદાચ તેણે આ પોતાની માતાથી પ્રેરિત થઈ શીખ્યું હશે અને તેની માતાએ આઇશાના અંતિમ શ્વાસ સુધી પ્રયાસ કર્યા કે આઇશાની ઈચ્છાઓ પુરી થાય,આઇશાની હેપીનેસ જળવાઈ રહે.
માતા નબળી નથી હોતી, તે સૌથી વધુ હિંમતવાન હોય છે અને જરૂર પડે તો કદાચ તે પોતાના બાળક માટે ભગવાન સાથે પણ લડી લે. એક ડાયલોગ છે આ મૂવીમાં જ્યારે અદિતિ(પ્રિયંકા ચોપરા )તેના પતિને કહે છે કે " મુજે આઇશા કે અલાવા કિસી ઓર કે લીયે કુછ કરના આતા હી નહીં " , આ કેટલી હદ વગરનું સમર્પણ હશે. જેને ચાહિયે એ આપણી સાથે પ્રત્યક્ષ હોય કે નહીં છતાં તે પરોક્ષ સાથે હોય જ છે અને જે પ્રિયજન મૃત્યુ પામે તેમને આપણા જીવનમાંથી ભૂસવાનું આમ તો અશક્ય જ છે, તે આપણી સાથે યાદોમાં અને કદાચ યાદોથી ઉપર પણ કશુંક હોય છે જ્યાં તેમનું અસ્તિત્વ કાયમ રહે છે. અદિતિ કહે છે કે આઇશાની બોડી આપણી સાથે નથી, પણ આઇશા આપણી સાથે છે જ , હરપળ છે અને હંમેશા રહેશે. છેલ્લે આઇશાનાં એક ડાયલોગ સાથે આ લેખ પૂરો કરવા માંગીશ, આઇશા કહે છે " થેન્ક યુ મોમ, મને અબોર્ટ ના કરાવવા બદલ, મને આ જીવન આપવા બદલ, આ પૃથ્વી પર લાવવા બદલ" ....
awesome
ReplyDelete👌👩👧👧
ReplyDeleteVery good
ReplyDeleteખુબ જ સરસ
ReplyDelete