અસ્તિત્વ
વહીની નો પ્રવાહ જો ભળે નહીં સાગર માં તો તેનું અસ્તિત્વ કેટલું?
શુ સાગરમાં વિલીન થઈને મળતું હશે તેને એનું અસ્તિત્વ?
સુગંધ જો રેલમછેલમ ના થાય હવામાં ,તો તેનું અસ્તિત્વ કેટલું?
શુ સુગંધ ને હવાના કણોમાં ખોવાઈને મળતું હશે એનું અસ્તિત્વ?
કિરણ જો સુરજથી થાય વિલગ તો તેનું અસ્તિત્વ કેટલું?
શુ આદિદેવની કૃપા વિશ્વ પર વરસાવવામાં મળતું હશે તેને એનું અસ્તિત્વ?
જળનું વાદળથી જો થાય વિચ્છેદન તો તેનું અસ્તિત્વ કેટલું?
ધરા પર ફરી જલધીને મળીને મળતું હશે તેને એનું અસ્તિત્વ?
જેનાથી સમગ્ર સૃષ્ટિ નું અસ્તિત્વ છે કાયમ, એ ધરતી માતાનું અસ્તિત્વ કેટલું?
શુ સમગ્ર જીવોને આધાર આપીને મળતું હશે તેને એનું અસ્તિત્વ?
લાગણીઓ જો હૃદયથી થાય વિછૂટી તો એનું અસ્તિત્વ કેટલું?
શુ હૃદય ને મુક્તિની હળવાશ આપવામાં મળતું હશે તેને એનુંં અસ્તિત્વ?
By : Payal Bodar
Nice one 👍
ReplyDeleteNice
ReplyDelete👌🏼👍
ReplyDelete👍👌👌👌
ReplyDeleteNice
ReplyDeleteSuperb
ReplyDeleteSundar kruti
ReplyDeleteBeautiful ♥️♥️♥️
ReplyDeleteSuper🌈
ReplyDelete