સટોરી || Satori- Novel by Dr. Nimit Oza||
સટોરી || Satori- Novel by Dr. Nimit Oza||
સટોરી- આ શબ્દ નો ઝેન બુદ્ધિઝમ માં અર્થ થાય છે આત્મબોધ. ડૉ. નિમિત્ત ઓઝા દ્વારા લખાયેલ નવલકથા "સટોરી" આજે વાંચવાની પુરી થઇ. આ કથા એ જે આપ્યું એના વિષે લખવાનું મારી અંદર ની લેખિકા ને મન ના થાય એવું બનવું અઘરું હતું. આ કથા છે એક મેડિકલ કોલેજ માં ભણતી છોકરી જે હતાશાની ચરમસીમાએ છે. જીવનથી હારેલ, સબંધોથી છેતરાયેલ પોતાની જાત થી દૂર થઇ ગયેલ આ છોકરી જયારે જીવન માં કશુંક પણ સારું થઇ શકે એવી આશા છોડી છે ત્યારે ચમત્કાર થાય છે.
ખુબ પ્રામાણિક, સવાલોથી ભરપૂર, દુઃખ દર્દ પીડા જે પણ કહો એને પુરી રીતે મહેસુસ કરવાવાળી આ છોકરીને અંધારા માં થી બહાર નીકાળવા આવે છે બુદ્ધ રાહગાર જે એના જીવન પ્રત્યે ના, પોતાની જાત પ્રત્યે ના સબંધ ને બદલી નાખે છે. તેને આત્મવિશ્વાસ થી સભર, જીવન માં બદલાવ લાવવાની ક્ષમતા ધરાવનાર, પોતાની ઓળખ, પોતાનું મૂલ્ય અને સ્થાન વિષે સજાગ કરે છે.
કોઈ માણસ કે સબંધ પાછળ ભાગવા કરતા કોઈ પ્રવૃત્તિ પાછળ ભાગવું વધુ યોગ્ય છે કારણકે ઉદ્દેશ્ય કે લક્ષ્ય આપણે ક્યારેય ત્યજશે નહી, વ્યક્તિ ત્યજી શકે. કહાની કહે છે કે પોતાની જાત સાથે નો સબંધ પ્રતિબિબ છે દુનિયા ના દરેક માણસ સાથે ના સબંધનું. દુઃખ ની સીમાએ પહોંચીને કરુણા જન્મે છે, જેના અંદર કરુણા નથી એ માણસ બીજા નું શું પોતાનું ભલું પણ ક્યારેય ના કરી શકે.
આ નવલકથા માં ડગલે પગલે ઘણા વાક્યો છે જે વિચારતા કરી મૂકે છે, જે મેં લેખક ની ભાષામાં જ એમના નવલકથામાં થી લઈને અહીં પ્રસ્તુત કાર્ય છે.
બાકી આ કથા મને શુરુઆત માં હળવી પણ અંત સુધી પહોંચતા અલગ જ પ્રવાસ પર લઇ ગઈ. હું સારી રીતે જોડાઈ શકી કારણકે મારી અંદર પણ પોતાની જાત ને એક્સપ્રેસ કરવા લેખન નું ખુબ મહત્વ રહેલ છે. જે પેરેન્ટીંગ સાયકોલોજી બતાવી છે આપણે ક્યાંક ને ક્યાંક મહેસુસ કરવા છતાં જાણતા કે સમજતા નથી એનું ખુબ સચોટ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. અંત માં ભગવાન બુદ્ધ ની કથા ને આ કથા સાથે સંકળાવીને જે પૂર્ણ વિરામ દીધેલ છે એ ખુબ જ હૃદયસ્પર્શી અને ન્યાયસૂચક છે.
Comments